સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપભાઈ પરમારનો બોટાદ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, બોટાદ 

ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદિપભાઈ પરમાર તા.૧૨ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ને સોમવારના રોજ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કમલમ્ હોલ, નગરપાલિકા ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જિલ્લાઓમા પ્રાતકક્ષાના આયોજીત વિકાસ કામોના લોકાર્પણ/ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે ૧૨:૦૦ કલાકે બોટાદની શ્રી આદર્શ બી.એડ.કોલેજ ખાતે ૩૬ મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમમાં હાજરી આપશે.તેમજ રાત્રિરોકાણ સરકીટ હાઉસ ખાતે કરશે.

તા.૧૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ને મંગળવારના રોજ મંત્રી પરમાર બોટાદના એ.પી.એમ.સી ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જિલ્લાકક્ષાના આયોજીત વિકાસ કામોના લોકાર્પણ/ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે અને કાર્યક્રમ પૂર્ણ થયે અનુકૂળતાએ મંત્રી પરમાર અમદાવાદ જવા રવાના થશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment